માણસની સાચી કસોટી ત્યારે જ થાય છે, જ્યારે બધી બાજી ઊલટી પડતી જાય, પાસાં અવળા પડે અને જે ધાર્યું હોય તેવું ન થાય. ગણતરી મુજબ કોઈ સરવાળો કે તાળો ન બેસે.
અને છતાંય એના ચહેરા પર હાસ્ય રમતું રહે, કપાળે કોઈ ગ્લાની ન દેખાય. અરે ! આંસુઓ આંખોમાંથી નીકળવાને બદલે દિલમાં અદ્રશ્ય થઇ નીકળતાં હોય. ત્યારે…સાચે જ…માણસ મંજાય છે, ધડાય છે, પોલિશ્ડ થાય છે, તેની ધાર નીકળે છે. એનામાં રહેલુ સાચુ વ્યક્તિત્વ પરખાય છે.
જો બધું જ સરળ બની સુમધુર સંગીતની જેમ સુખરૂપ પસાર થતું રહે ત્યારે સમજવું કે પ્રોગ્રેસ અટકાવાઈ ગયો છે. માણસ બટકાઈ રહ્યો છે.
|| રમઝાનની આજની આ અનુભવાયેલી એક વધુ મઝાની વાત.||
મિત્રો, મેં પણ બ્લોગ સાગરમાં ડૂબકી લગાવી છે… મને તમારા પ્રતિભાવથી ઘણું શીખવા મળશે.. https://milansolanki.wordpress.com